અંક ભવિષ્યફળ શનિવાર, ૦3 એપ્રિલ ૨૦૨૧
તમારી જન્મ તારીખનાં અંકના આધારે આજનું તમારું અંક ભવિષ્યફળ.
અંક ૧ ના લોકો માટે – જન્મ તારીખ ( ૧, ૧૦, ૧૯, ૨૮)
તમારા જીવનનું ખૂબ જ મહત્વના કામ વિશે સારા સમાચાર મળી શકે છે. મિત્રો તરફથી સારો સહકાર મળી શકે. આનંદની લાગણીનો અનુભવ થશે.
ધાર્મિક વિધિ: તમારા ઇષ્ટદેવની પુજા કરવી
લાભદાયક: અંક- 3 , શુભ રંગ- પીળો
અંક ૨ ના લોકો માટે – જન્મ તારીખ ( ૨, ૧૧, ૨૦, ૨૯)
લાકડા ફર્નિચરના વેપારીઓ માટે અનુકૂળ સમયની પૂરી તક મળી શકે. ડાંગરના વેપારી માટે સમય સારો છે. ચોક્કસ પ્રકારની સમસ્યાનું સમાધાન મળી શકે છે.
ધાર્મિક વિધિ: સૂર્યદેવને સફેદ ફૂલ અને પાણી અર્પણ કરવું
લાભદાયક: અંક- ૧, શુભ રંગ- ગોલ્ડન
અંક ૩ ના લોકો માટે – જન્મ તારીખ ( ૩, ૧૨, ૨૧, ૩૦)
વિધ્યાર્થીઓને પરીક્ષામાં અનુકૂળ સમય રહી શકે છે. બીજા લોકોને તમે તમારી વાત સમજાવી શકશો. નોકરી માટેના ઇન્ટરવ્યૂમાં સફળતા મળી રહેશે.
ધાર્મિક વિધિ: ગણપતીજીનાં સહસ્ત્રનામસ્તોત્ર વાચવા
લાભદાયક: અંક- ૫, શુભ રંગ- લીલો દળી
અંક ૪ ના લોકો માટે – જન્મ તારીખ ( ૪, ૧૩, ૨૨, ૩૧)
બગીચાને લાગતું કામ લાભદાયી બની શકે છે. મીડિયા કન્ટેન્ટ રાઇટર માટે સારી તક મળી શકે છે. તમારું મન પ્રફુલ્લિત રહેશે.
ધાર્મિક વિધિ: કૂતરાંઓને રોટલી ખવડાવો
લાભદાયક: અંક- ૭, શુભ રંગ- જાંબલી
અંક ૫ ના લોકો માટે – જન્મ તારીખ ( ૫, ૧૪, ૨૩)
કોલ સેન્ટર પર કામ કરતાં લોકોને સારી તક મળી શકે છે. ઓફિસ કર્મચારીઓ માટે સારો સમય બની રહેશે. તમારી માનસિક સ્થિતિનું ધ્યાન રાખવું.
ધાર્મિક વિધિ: હનુમાનજીને સાત્વિક વરખ ચઢાવવું
લાભદાયક: અંક- ૯, શુભ રંગ- લાલ
અંક ૬ ના લોકો માટે – જન્મ તારીખ ( ૬, ૧૫, ૨૪)
કમ્યૂનિકેશન ક્ષેત્રમાં જોડાયેલા એન્જિનિયર્સ મિત્રો માટે સારી તકો આવી શકે. સારી તકને ઝડપી લેવા તૈયાર રહો. મગજમાં પહેલેથી ભરાઈ ગયેલી અમુક બાબતો મુશ્કેલી પહોંચાડી શકે છે.
ધાર્મિક વિધિ: શનિદેવને કાળા તલનો લાડુનો પ્રસાદ ધરાવો
લાભદાયક: અંક- ૮, શુભ રંગ- કાળો
અંક ૭ ના લોકો માટે – જન્મ તારીખ ( ૭, ૧૬, ૨૫)
આજના દિવસની મુસાફરી ફાયદાકારક થઈ શકે છે. વિદેશી સેવા અધિકારીઓ માટે સારી તક મળી શકે છે. ખોરાક લેવામાં ધ્યાન રાખવું, પાચનની સમસ્યાઓ થઈ શકે છે.
ધાર્મિક વિધિ: રુદ્રાક્ષના છોડને પાણી અર્પણ કરવું
લાભદાયક: અંક- ૨, શુભ રંગ- સફેદ
અંક ૮ ના લોકો માટે – જન્મ તારીખ ( ૮, ૧૭, ૨૬)
બેંકના કર્મચારીઓ માટે ધીરજ જાળવવાનો સમય છે. અગાઉ બનેવેલ યોજનામાં સુધારો કરવાની જરૂર પડી શકે છે. ક્રોધને કાબુમાં રાખવો, ધૈર્ય જાળવી રાખવું
ધાર્મિક વિધિ: ભૈરવદાદાને કચોરી-સમોસાનો પ્રસાદ ધરાવો
લાભદાયક: અંક- ૪, શુભ રંગ- વાદળી
અંક ૯ ના લોકો માટે – જન્મ તારીખ ( ૯, ૧૮, ૨૭)
પબ્લિસિટી કંપનીઓ કે જાહેરાત એજન્સીઓને ફાયદો થઈ શકે છે. કામ કરવાની સારી તક મળી શકે છે.
ધાર્મિક વિધિ: મંદિર નિર્માણમાં ફાળો આપવો
લાભદાયક: અંક- ૬ , શુભ રંગઃ- ક્રીમ
0 Comments
ટિપ્પણી પોસ્ટ કરો
Please Do Not Add Any Spam Link