અંક ભવિષ્યફળ શનિવાર, ૦3 એપ્રિલ ૨૦૨૧

તમારી જન્મ તારીખનાં અંકના આધારે આજનું તમારું અંક ભવિષ્યફળ.

Numerology Predictions of 3 April 2021

અંક ૧ ના લોકો માટે જન્મ તારીખ ( ૧, ૧૦, ૧૯, ૨૮)

તમારા જીવનનું ખૂબ જ મહત્વના કામ વિશે સારા સમાચાર મળી શકે છે. મિત્રો તરફથી સારો સહકાર મળી શકે. આનંદની લાગણીનો અનુભવ થશે.

ધાર્મિક વિધિ: તમારા ઇષ્ટદેવની પુજા કરવી

લાભદાયક:  અંક- 3 , શુભ રંગ- પીળો  

અંક ૨ ના લોકો માટે જન્મ તારીખ ( ૨, ૧૧, ૨૦, ૨૯)

લાકડા ફર્નિચરના વેપારીઓ માટે અનુકૂળ સમયની પૂરી તક મળી શકે. ડાંગરના વેપારી માટે સમય સારો છે. ચોક્કસ પ્રકારની સમસ્યાનું સમાધાન મળી શકે છે.

ધાર્મિક વિધિ: સૂર્યદેવને સફેદ ફૂલ અને પાણી અર્પણ કરવું

લાભદાયક:  અંક- ૧, શુભ રંગ- ગોલ્ડન  

અંક ૩ ના લોકો માટે જન્મ તારીખ ( ૩, ૧૨, ૨૧, ૩૦)

વિધ્યાર્થીઓને પરીક્ષામાં અનુકૂળ સમય રહી શકે છે. બીજા લોકોને તમે તમારી વાત સમજાવી શકશો. નોકરી માટેના ઇન્ટરવ્યૂમાં સફળતા મળી રહેશે.

ધાર્મિક વિધિ: ગણપતીજીનાં સહસ્ત્રનામસ્તોત્ર વાચવા

લાભદાયક:  અંક- ૫, શુભ રંગ- લીલો દળી

અંક ૪ ના લોકો માટે જન્મ તારીખ ( ૪, ૧૩, ૨૨, ૩૧)

બગીચાને લાગતું કામ લાભદાયી બની શકે છે. મીડિયા કન્ટેન્ટ રાઇટર માટે સારી તક મળી શકે છે. તમારું મન પ્રફુલ્લિત રહેશે.

ધાર્મિક વિધિ: કૂતરાંઓને રોટલી ખવડાવો

લાભદાયક:  અંક- ૭, શુભ રંગ- જાંબલી

અંક ૫ ના લોકો માટે જન્મ તારીખ ( ૫, ૧૪, ૨૩)

કોલ સેન્ટર પર કામ કરતાં લોકોને સારી તક મળી શકે છે. ઓફિસ કર્મચારીઓ માટે સારો સમય બની રહેશે. તમારી માનસિક સ્થિતિનું ધ્યાન રાખવું.

ધાર્મિક વિધિ: હનુમાનજીને સાત્વિક વરખ ચઢાવવું

લાભદાયક:  અંક- ૯, શુભ રંગ- લાલ  

અંક ૬ ના લોકો માટે જન્મ તારીખ ( ૬, ૧૫, ૨૪)

કમ્યૂનિકેશન ક્ષેત્રમાં જોડાયેલા એન્જિનિયર્સ મિત્રો માટે સારી તકો આવી શકે. સારી તકને ઝડપી લેવા તૈયાર રહો. મગજમાં પહેલેથી ભરાઈ ગયેલી અમુક બાબતો મુશ્કેલી પહોંચાડી શકે છે.

ધાર્મિક વિધિ: શનિદેવને કાળા તલનો લાડુનો પ્રસાદ ધરાવો

લાભદાયક:  અંક- ૮, શુભ રંગ- કાળો  

અંક ૭ ના લોકો માટે જન્મ તારીખ ( ૭, ૧૬, ૨૫)

આજના દિવસની મુસાફરી ફાયદાકારક થઈ શકે છે. વિદેશી સેવા અધિકારીઓ માટે સારી તક મળી શકે છે. ખોરાક લેવામાં ધ્યાન રાખવું, પાચનની સમસ્યાઓ થઈ શકે છે.

ધાર્મિક વિધિ: રુદ્રાક્ષના છોડને પાણી અર્પણ કરવું

લાભદાયક:  અંક- ૨, શુભ રંગ- સફેદ  

અંક ૮ ના લોકો માટે જન્મ તારીખ ( ૮, ૧૭, ૨૬)

બેંકના  કર્મચારીઓ માટે ધીરજ જાળવવાનો સમય છે. અગાઉ બનેવેલ યોજનામાં સુધારો કરવાની જરૂર પડી શકે છે. ક્રોધને કાબુમાં રાખવો, ધૈર્ય જાળવી રાખવું

ધાર્મિક વિધિ: ભૈરવદાદાને કચોરી-સમોસાનો પ્રસાદ ધરાવો

લાભદાયક:  અંક- ૪, શુભ રંગ- વાદળી  

અંક ૯ ના લોકો માટે જન્મ તારીખ ( ૯, ૧૮, ૨૭)

પબ્લિસિટી કંપનીઓ કે જાહેરાત એજન્સીઓને ફાયદો થઈ શકે છે. કામ કરવાની સારી તક મળી શકે છે.

ધાર્મિક વિધિ: મંદિર નિર્માણમાં ફાળો આપવો

લાભદાયક:  અંક- ૬ , શુભ રંગઃ- ક્રીમ