૧૭ ફેબ્રુઆરી આજનો દિન વિશેષ મહિમા | 17 February Current Affairs 2023

૧૭ ફેબ્રુઆરી આજનો દિન વિશેષ, 17 February કરંટ અફેર્સ 2023: આજ રોજ જે.કૃષ્ણમૂર્તિની પુણ્યતિથિ છે તેમજ આજના કરંટ અફેર્સ 17 February મા જનરલ નોલેજ પણ મેળવીશુ.  

17-february-din-vishesh-current-affairs

૧૭ ફેબ્રુઆરી દિન વિશેષ: જે.કૃષ્ણમૂર્તિની પુણ્યતિથિ

વિશ્વમાં આધ્યાત્મનો પ્રભાવ પાડનાર ભારતીય દાર્શનિક જે. કૃષ્ણમૂર્તિનો જન્મ ૧૨ મે,૧૮૯૫ ના રોજ દક્ષિણ ભારતના મદનપલ્લી ગામમાં થયો હતો.તેઓ એક સંવેદનશીલ અને અસ્વસ્થ બાળક હતા. તેમના પિતા નારાયણૈયા રેવન્યુ ખાતામાં નોકરી કરતાં હતા. માતા સંજીવમ્મા કૃષ્ણભક્ત અને ધાર્મિક હતા. 
 
જે. કૃષ્ણમૂર્તિ શાળામાં અંતર્મુખી અને શરમાળ સ્વભાવના વિધાર્થી હતા. ડૉ.એની બેસન્ટે તેમને ૬ માર્ચ, ૧૯૧૦ના રોજ શિક્ષણ માટે પસંદ કર્યા હતા. આઘ્યાત્મિક તાલીમ દરમિયાન તેમણે 'શ્રી ગુરુ ચરણે' પુસ્તિકા લખી.વિશ્વભરમાં પથરાયેલી થિયોસોફીની સંસ્થાઓમાંની એક “ઓર્ડર ઓફ ધ સ્ટાર ઇન ધ ઈસ્ટ” નું અધ્યક્ષપદ જે.કૃષ્ણમૂર્તિને તરુણાવસ્થામાં જ અપાયું. 
 
પરંતુ જીવનની અંતજ્યોર્તિના દર્શન કરી ચૂકેલા કૃષ્ણમૂર્તિએ આ પદનો ત્યાગ કરી ઇંગ્લેન્ડ, અમેરિકા અને ભારતમાં તેમણે એવી શિક્ષણ સંસ્થાઓનું નિર્માણ કર્યું કે જ્યાં વિધાર્થીઓ સંયમ અને સર્વાંગી શિક્ષણમાં રસ કેળવે અને જાહેર કર્યું કે ‘સત્ય એક પાથ વગરની જમીન છે. માનવી માત્ર સત્યનો અનુયાયી છે. સત્ય દ્વારા સમજણ પ્રાપ્ત થાય છે,સત્ય શોધવું હોય તો કુંઠિત મનની સીમાઓથી પાર જવું જોઈએ.' કોઇની પણ કંઠી બાંધવાની ના પડતાં હતા, પોતાની પણ નહીં.
 
તેઓ કહેતા કે “માત્ર પુસ્તકનું શિક્ષણ ભરોસાપાત્ર નથી ભરોસો આંતરમાંથી આવવો જોઈએ.તમે તમારી સ્વ-અગત્યતા વધારી ન દેતા, ધન ,કીર્તિનો ઢગલો ન કર્યા કરતા. જીવનને સુવર્ણ બનાવવાને બદલે તમે ભંગારના પતરાની જેમ કથીર બનાવી નાખો છો. "તેઓ મનોવૈજ્ઞાનિક ક્રાંતિ, મનની પ્રકૃતિ, ધ્યાન, માનવ સંબંધો, સમાજ વગેરેમાં સકારાત્મક પરીવર્તન કેવી રીતે લાવી શકાય તેના નિષ્ણાત હતા. 
 
તેઓ હંમેશા કહેતા કે દરેક મનુષ્યને માનસિક ક્રાંતિની જરૂર છે અને આવી ક્રાંતિ કોઈ બાહ્ય પરિબળ દ્વારા શકય નથી પછી ભલે તે ધાર્મિક, સામાજિક કે રાજકીય હોય. તેમના ભાષણો, સંવાદ, પત્ર, રોજનીશીએ સઘળું ૭૦ પુસ્તકોમાં સમાવિષ્ટ શિક્ષણ અને સંસ્કાર પરના એમના ગ્રંથોએ વિશ્વભરના બૌદ્ધિકોને એક નવો જ રાહ ચીંધ્યો હતો. 
 
તેમણે જીવનની મુક્ત અને પરમ દશાનું બયાન કરતી પ્રસાદ પ્રેરિત કવિતાઓ લખી છે. ઋષિવેલી-આધ્ર, રાજઘાટ બેસન્ટ શાળા તથા બ્રોકવૂડ પાર્ક જેવા સ્થળે તેમના વિચરકોને કાર્યાન્વિત કરતી શાળાઓ છે. તેઓ સ્વિટઝરલેંડમાં રહી, ચર્ચાઓ માટે વિશ્વપ્રવાસ કરતા. શ્રોતાને વિચારતો કરનારી સાદી, સરળ અંગ્રેજીમાં થયેલી પ્રવચન પરિચર્ચાઓના ધ્વનિ-મુદ્રણ પરથી ગ્રંથો બન્યા છે. 
 
ગુજરાતીમાં પણ તે ભાષાંતરિત થયા છે. તેજસ્વી આંખો અને સોહામણું વ્યક્તિત્વ ધારાવતા આ અકિંચન આંતરરાષ્ટ્રીય ચિંતકે અગણિત જનોને પોતાની જીવનદ્રષ્ટિ વિકસાવવામાં અને પોતાની સમજના શિષ્ય બનાવવામાં સહાય કરી. ૧૭ ફેબ્રુઆરી, ૧૯૮૬ના રોજ અમેરિકના કેલિફોર્નિયા રાજયના ઑ' હેર નગરમાં તેમનું અવસાન થયું હતું.

17 ફેબ્રુઆરી દિન મહિમા જનરલ નોલેજ

  • 17 ફેબ્રુઆરી, 1670માં છત્રપતિ શિવાજી મહારાજે મુગલો પાસેથી સિંહગઢ કિલ્લો જીત્યો.
  • 17 ફેબ્રુઆરી, 1915માં મહાત્મા ગાંધીજીએ પહેલી વખત શાંતિનિકેતનની મુલાકાત કરી
  • 17 ફેબ્રુઆરી, 1962માં જર્મનીના હેમ્બર્ગમાં આવેલા તોફાનમાં લગભગ 300 લોકોના મોત
  • નીપજ્યા હતા.
  • 17 ફેબ્રુઆરી, 2004માં ફુલનદેવી હત્યાકાંડના મુખ્ય આરોપી શમશેરસિંહ રાણા તિહાડ જેલમાંથી ફરાર થઈ ગયો હતો.
  • 17 ફેબ્રુઆરી, 1954માં એક આદરણીય રાજકારણી અને ભારતના નવા બનેલા 29માં રાજ્ય તેલંગણાના પ્રથમ મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવનો જન્મ થયો હતો.
  • ૧૮૬૭ સુએઝ નહેરમાંથી પ્રથમ જહાજ પસાર થયું.
  • ૨૦૦૮ કોસોવોએ સર્બિયાથી સ્વતંત્રતા જાહેર કરી.
  • ૨૦૧૧ મુઅમ્મર ગદ્દાફીના શાસન સામે લિબિયામાં વિરોધનો દોર શરૂ થયો.

17 February Today Current Affairs in Gujarati 2023