આજનો દિન વિશેષ ૧૯ જાન્યુઆરી | 19 January General Knowledge

આજનો દિન વિશેષ, દિન મહિમા ૧૯ જાન્યુઆરી, Aaj No Din Vishesh Din Mahima: 19 January ના ખાસ દિન વિશેષમા દેવેન્દ્રનાથ ટાગોરની પૂણ્યતિથી છે. જેમના વિશે વધુ માહિતી તેમજ ૧૯ જાન્યુઆરીના દિવસે બનેલી મહત્વની ઘટનાઓ વિશેનુ જનરલ નોલેજ વાચીશુ. 

aaj no din visheh mahima 19 january

આજનો દિન વિશેષ: દેવેન્દ્રનાથ ટાગોરની પૂણ્યતિથી

પ્રખર વિદ્વાન અને મહાઋષિ દેવેન્દ્રનાથ ટાગોરનો જન્મ ૧૫ મે, ૧૮૧૭ ના રોજ કલકત્તામાં થયો હતો. દેવેન્દ્રનાથ ટાગોર રવિન્દ્રનાથ ટાગોરના । પિતા હતા. તેઓ બ્રહ્મસમાજના પ્રમુખ સદસ્ય હતા, અને ઈ.સ. ૧૮૪૩ માં “બ્રહ્મસમાજ" નું નેતૃત્વ પણ કર્યું હતું. આ જ વર્ષે તેમણે ‘તત્વબોધિની પત્રિકા' પ્રકાશિત કરી.
 
આ પત્રિકા દ્વારા સામાજિક અંધશ્રદ્ધા તેમજ કુરિવાજોનો વિરોધ કરવામાં આવ્યો અને ખ્રિસ્તી મિશનરી દ્વારા કરવામાં આવતો ધર્મપરિવર્તનનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. દેશવાસીઓ તેમને મહર્ષિ તરીકે બોલાવતા હતા. દેવેન્દ્રનાથ ધર્મના પ્રચારની સાથોસાથ શિક્ષણના પ્રચાર પ્રસારમાં વધુ રુચિ રાખતા હતા.
 
બંગાળમાં વિવિધ સ્થળોએ શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરાવવામાં તેમણે ખૂબ મદદ કરી હતી. ઈ.સ. ૧૮૫૧ માં સ્થાપિત થયેલ ‘બ્રિટિશ ઈન્ડિયન એસોસિએશન’ ના સૌપ્રથમ તેઓની સેક્રેટરી તરીકે નિમણુંક કરવામાં આવી. ૧૯ મિ સદીના મુઠ્ઠીભર શિક્ષિત ભારતીયોમાં દેવેન્દ્રનાથનું ટોચ પર રહેલું છે. ૧૯ જાન્યુઆરી,૧૯૦૫ ના રોજ દેવેન્દ્રનાથનું અવસાન થયું.

19 January General Knowledge | ૧૯ જાન્યુઆરી દિન મહિમા જનરલ નોલેજ

  • 19 જાન્યુઆરી, 1966માં ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુની પુત્રી ઇંદિરા ગાંધીને ભારતના ત્રીજા પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા હતા.
  • 19 જાન્યુઆરી, 2005માં સાનિયા મિર્ઝા લોન ટેનિસમાં ઓસ્ટ્રેલિયા ઓપન ના ત્રીજા રાઉન્ડમાં પહોંચનાર પ્રથમ મહિલા બની.
  • 19 જાન્યુઆરી, 1905માં શાંતિનિકેતનનો પાયો નાખનાર અને બ્રહ્મસમાજના સ્થાપકા દેવેન્દ્રનાથ બાબુનો જન્મ થયો હતો.
  • 19 જાન્યુઆરી,1995માં નોબલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરના પિતા અને ભારતીય ચિંતક, વિચારક દેવેન્દ્રનાથ ટાગોરનું અવસાન થયું હતું



આજનો દિન વિશેષમા ૧૯ જાન્યુઆરીના દિવશે બનેલી મહત્વની ઘટનાઓ

  • ૧૮૩૯ – બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ એડન પર કબજો કર્યો.
  • ૧૯૭૫ – હિમાચલ પ્રદેશમાં ભૂકંપ
  • ૧૯૯૩ - ચેક રિપબ્લિક અને સ્લોવાકિયા સંયુક્ત રાષ્ટ્રમાં જોડાયા 
  • ૨૦૨૦ – અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન વચ્ચે ખાનગી ટ્રેન અમદાવાદ - મુંબઈ તેજસ એક્સપ્રેસ શરૂ કરવામાં આવી.
 
 
"આજનો દિન વિશેષ" વોટ્સઅપ ગૃપમા જોડવવા માટે અહિ ટીક કરો 
 
ઉપરોક્ત માહિતી આપવામા કોઇ ભૂલચૂક રહી હોય તો આપના સૂચન આવકાર્ય છે. નીચે કમેંટ બોક્ષમા જરૂરથી જણાવશો. આ આર્ટીકલ વાચવા બદલ આભાર.